#Mantra_yog
#મંત્રયોગ થોડા દિવસો પહેલાં એક બહેન મળવા આવ્યા. કહે કે: "ભક્તિ બહુ કરું છું પણ ફળતી નથી, પ્રાર્થનાનો સ્વીકાર નથી થતો, દુઃખ દૂર નથી થતા, મનોકામના પૂર્ણ નથી થતી..." મેં પૂછ્યું: "ક્યા સાધનનો ઉપયોગ કરો છો? કોને ભજો છો?" કહે કે: "#શિવ_અને_શક્તિ ની ઉપાસના કરું છું, સાધન મંત્ર છે." પૂછ્યું: "માતાજીનો કયો મંત્ર ભજો છો?" તેઓ અશુદ્ધ ઉચ્ચાર સાથે #नवार्ण_मंत्र બોલ્યા... મેં તેમને અટકાવી દીધા અને કહ્યું: "તમે અફસોસ ન કરતા કે તમારી ભક્તિ ફળતી નથી. તમે ભક્તિ કરી જ નથી તો ફળે કઈ રીતે! नवार्ण मंत्र નું આ રીતે ઉચ્ચારણ કરાય જ નહીં. આ મહાન મંત્ર નું અશુદ્ધ ઉચ્ચારણ કરો તો નુકશાન પણ થાય... અર્થ નો અનર્થ થાય તો માતાજી કોપે. માટે આ મંત્ર આ રીતે ન બોલાય. શક્તિનો મંત્ર #ગુરુ પાસેથી ગ્રહણ કરો તો જ ફળ આપે. અન્યથા નહીં." ઈશ્વરના સ્વરૂપ વિશે થોડું જ્ઞાન આપ્યા પછી મેં તેમને #શિવ_પંચાક્ષર સાધના આપી. અમુક દિવસો પછી પાછા આવવાનું કહ્યું. એ બહેન કહ્યા મુજબ પાછા આવ્યા. તેમના ચહેરા પર સાધનાનું તેજ હતું. મેં તેમને સાધનાનું બીજું લેવલ આપ્યું. આ બહેન જેવી દશા ઘણી જગ